ગોંડલ : જય મેઘવાડ સમાજ યુવા સંગઠન તથા સમસ્ત અનુસુચિત જાતી સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવ્યા

અહેવાલ દિનેશકુમાર રાઠોડ (જેતપુર)

સંવિધાન રચયિતા, મહિલાઓના મુક્તિદાતા બોધીસત્વ ડો. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસના રોજ ગોંડલ અનુસુચિત જાતી સમાજના આગેવાનો અને યુવાનો  સાથે બાબસાહેબની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી.

તથા જય મેઘવાડ સમાજ યુવા સંગઠન અને સમસ્ત મેઘવાડ સમાજ દ્વારા બાબસાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને બાબાસાહેબ ની પ્રતિમા ને સલામી દેવામાં આવી હતી.